Why suicide?

     તારીખ 14 જૂન, 2020 ના સમાચાર એક સમાચાર આવે છે ,તેના પછી દેશમાંઘણું બધું ઘટિત થાય છે. જે પણ થયું એ બધા ને ખબર જ છે.
જે રીતે મીડિયાએ તેને એક મુખ્ય મુદ્દો બનાવ્યો અને છતાંય મુખ્ય પ્રશ્ન તો એમનેમ જ દબાઈ ગયો.

     આખરે શૂશાંત સિંહ એમનો એવો કયો વિચાર મોટો થઈ ગયો જેનું મૂલ્ય એમના જીવ કરતા પણ વધું હતું ?

     ના માત્ર શૂશાંત સિંહ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટ પ્રમાણે 2019 માં રોજ ના 381 મૃત્યું આત્મહત્યા થી થાય છે. આ બધા નું શું કારણ છે?

    કેટલાય સુપ્રસિદ્ધ લોકો એ આત્મહત્યા કરી છે. જે એક રહસ્ય છોડતા ગયા છે ,ને બધા પોતપોતાની કહાની બનાવી ને આ રહસ્ય ને ઉકેલવાના પ્રયત્નો કરતા રહ્યાં છે. એમનું રહસ્ય હું તો ઉકેલી શક્યો નથી જ પણ એમના વગર ના તમામ લોકો જે આત્મહત્યા કરે છે એમનું કારણ પણ તેમની કક્ષા એ એટલું જ મોટું હોય છે.નહીંતર કોઈ પોતાનો જીવ શા માટે લે?

    આપણે ઈન્જેકશન લેવાથી પણ ખચકાટ અનુભવી છીએ કેમ કે આપણે પોતાની જાત ને એ દર્દ આપવા નથી માંગતા. તો પણ....

1.આપણે ઇન્જેક્શન લઈએ છીએ કારણકે એનાથી આપણી માંદગી દૂર થવાની છે.

2.આપણે પરીક્ષા વખતે ઉજાગરા કરી ને પણ વાંચીએ છીએ કારણકે એનાથી આપણી પરીક્ષા સારી જવાની છે.
 
ઉપર ના બંન્ને કિસ્સા ને આત્મહત્યા માં તફાવત એટલો જ છે કે એક વાસ્તવિકતા છે ને બીજો એ ખાલી ભ્રમ!

     એ ભ્રમ એટલો વધી જાય છે કે પોતાનું મગજ પોતાનું જ દુશ્મન બની જાય છે. અંતે તેમનાં માટે તો બધું જ બદલાઈ જાય છે પણ એમના પરિવાર માટે એ મોટો આઘાત બની જાય છે!

     આપણાં દેશમાં ખેડૂત અને વિદ્યાર્થીઓ સૌથી વધું આત્મહત્યા કરે છે. જે એવા ભ્રમ ને મનમાં સાચવીને બેઠા હોય છે જે ના પૂરું થાય તો ખરેખર તો કંઈ જ બદલવાનું નથી. છતાં... એક એવો વિચાર જે ખાલી વિચાર જ છે. એ સત્ય બની જાય છે. આવી જ રીતે તે જ વિચાર નો વિકાસ થતો રહે છે.

    અહીં 381 તો એ આંકડો છે જે 'લડો અથવા ભાગો' ની સ્થિતિ માં ભાગવાનું પસંદ કરી લીધું છે. બીજા કેટલાય એવા હશે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હશે. ઘણાં એવા હશે જે ભવિષ્ય માં આનાથી ક્યાંક ટકરાશે.

   મેં બે વાર્તા ક્યાંક સાંભળી હતી.

   પેલી એમ હતી કે બાપ-દીકરો ગાડી માં જતાં હોય છે.રસ્તા માં વચ્ચે એક સસલું મરેલું પડ્યું હોય છે. નાના છોકરાં ને પ્રશ્ન થાય છે કે,' પપ્પા સસલાં ની ઝડપ તો ખૂબ જ વધું છે તો સસલું કેવી રીતે મરી શકે?' પપ્પા જવાબ આપે છે કે ,'બેટા! એને એ ખબર ના પડી કે ડાબે જવું જોઈએ કે જમણી બાજું, ને તે એ ત્યાંજ ઉભું રહી ગયું.'

    બીજી વાર્તા કંઈક આમ હતી. એક વિદ્યાર્થી હોય છે. સામાન્ય પરિવાર માંથી આવે છે પણ ભણવામાં પેલેથી જ હોંશિયાર અને મહેનતું હોય છે.પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી એનું પરિણામ શાળા ની ટેસ્ટ માં ખૂબ જ ઓછું આવે છે.એના ઘણાં બધાં કારણો હોય છે. જેમાંથી મોટા ભાગના નો કંટ્રોલ એના હાથમાં નથી હોતો. એક દિવસ આમ જ શાળામાંથી રિઝલ્ટ આવ્યું હોય છે ,જે એનું ખૂબ જ ખરાબ આવ્યુંછે.એ એકલો ને એકલો ઘણો રોવે છે.તેને વિચાર આવે છે મારા માતા-પિતા ને મારાથી ઘણી આશાઓ છે ને આવા જ માર્ક્સ લાવવાં હોય તો મારે ન જીવવું જોઈએ. એ ઘણું વિચારે છે. ત્યાં જ બીજો વિચાર આવે છે. જો હું  મરી જવું તો શું થશે? બે પ્રશ્નો ની વચ્ચે વચ્ચે એને વિચારવાનું હતું અને એક પસંદ કરવાની હતી. આખરે એ સાચી પસંદ કરે છે. પછી હજી વધું મહેનત કરે છે. તેનું આખરે પરિણામ સારું જ આવે છે પણ પેલા કરતાં થોડું ઓછું આવે છે.અંતમાં તેનો ભ્રમ પણ તૂટી જાય છે.

    બંન્ને નાની વાર્તાઓમાં એક પસંદ કરવાની આવે છે.જેમાં સરળ લાગતી વસ્તું મોટા ભાગના કિસ્સામાં માં સાચી નથી હોતી. અહીં બીજો પ્રશ્ન થાય છે કે ,કેમ સસલું કેમ સાચી પસંદ ન કરી શક્યું અને એ વિદ્યાર્થી એ કેમ આખરે સાચી પસંદ કરી?

   તમે જાતે જ વિચારી જુઓ અને જવાબ પણ એજ છે.તો પછી કેમ આપણે સાચી પસંદ નથી કરી શકતા?

   કોઈ ના માં જ્ઞાન ની કમી નથી હોતી. બધા ને ધીરે-ધીરે ખબર જ પડી રહી છે કે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે.ખરેખર શૂશાંત સિંહ રાજપૂત જે પોતે એક એન્જિનિયર હતા. એમની ફિલ્મ chichore જે આજ વિષયવસ્તું પર બનેલી હતી.આમ છતાં તેમણે એવું પગલું ભર્યું.આનું શું કારણ હોઈ શકે?

    કોઈ પણ વસ્તુ નું knowledge બધું જ નથી હોતું. અત્યારે બજાર માં મફત ના ભાવે સફળ થવાના સૂત્રો મળે છે. જેનાથી કોઈ સફળ નથી બની જતું. વાસ્તવિક્તા એ છે કે ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ થી કોઈ મોટિવેટ નથી થઈ જતું અને youtube ના વિડીયો જોવાથી કોઈ ની જિંદગી નથી બદલાઈ જતી. તો પછી જવાબ શું હોઈ શકે?

     મારા મતે બન્ને નો જવાબ છે વિચાર.એક સારો વિચાર ફૂલ ની જેમ હોય છે જેનું જતન કરવું મુશ્કેલ છે પણ એ પોતાની સુગંધ ફેલાવતો રહે છે. એક ખરાબ વિચાર આગળ વધતા રણ ની જેમ હોય છે જો એને રોકવામાં ન આવે તો ફળદ્રુપ જમીન ને પણ બિન ઉપજાવું બનાવી દે છે.આ માટે જ આપણાં વિચારો પર આપણે વિચાર કરવો જોઈએ. એ ધ્યાન રાખવું જોઈએ કે આપણાં મનરૂપી બાગમાં ખરાબ વિચાર તરીકે નો કોઈ થોર ન ઉગે.

     આજના સોશીયલ મીડિયા ના જમાના માં એ વધું ને વધું મુશ્કેલ બનતું જાય છે. કોઈ સારી ફિલ્મ જોઈ ને એક વિલન પ્રત્યે પણ આપણને લાગણી થઈ આવે છે ને એ આપણને ગમી જાય છે.જે આપણને ક્યાંક તો જીવનમાં અસર કરે જ છે. જ્યારે કોઈ સારું પુસ્તક, સારો દોસ્ત, સારા વ્યક્તિત્વ જે જીવનમાં સારો પ્રભાવ પાડે છે. 

    આ બન્ને વચ્ચે નું બેલેન્સ એ કેટલીક મુશ્કેલ પસંદગીમાં સાચી પસંદ કરવામાં મદદ કરે છે.હા,બેલેન્સ માં સારા વિચાર કરતા ખરાબ વિચાર જલ્દી અસર કરે છે.

    આશા રાખીએ કે આપણે બધા સાચી જ પસંદ કરીએ.આની સાથે અસ્તું. આ મારી એક કોશિશ જે ક્યાંય  એક સારા વિચાર માટે બીજ બનશે તો આટલું લખેલું સફળ રહશે.

SHARE

Rabari Piyush

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

2 comments: